
વિવાદ બાદ આદિપુરુષ ફિલ્મના ડાયલોગ બદલાશે: ફિલ્મના લેખકે કહ્યું,”જે લખ્યું તે પથ્થરની લકીર નથી”
અભિનેતા(Actor) પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ (Film) 'આદિપુરુષ' (Adipurush) પર શરૂ થયેલો વિવાદ (Controversy) અટકવાનું નામ નથી લઈ રહ્યો. શરૂઆતમાં ખુબ જ માર્કેટિંગ કરીને લોકોને આકર્ષતી આ ફિલ્મ પાસે લોકોને ઘણી આશા હતી. પરંતુ ફિલ્મ જોયા બાદ આ આશા પર પાણી ફરી વળ્યું છે. અને સોશિયલ મીડિયામાં આ ફિલ્મના (Dialogous)ડાયલોગ્સને લઈને ઘણો આક્રોશ જોવા મળ્યો છે. જેને લીધે આ ફિલ્મના લેખક (Writer) મનોજ મુન્તાશીરે (Manoj Mutashir) ફિલ્મના ડાયલોગ બદલવાનો નિર્ણય લીધો છે. અને વિવાદ પર પોતાનો પક્ષ સૌની સામે રાખ્યો છે.
►“બાળકો માટે ફિલ્મ બનાવી હતી”
ફિલ્મના લેખક મનોજ મુન્તાશીરે કહે છે, 'ફિલ્મનો ધ્યેય ભગવાન શ્રીરામ (Shree Ram)ના મહાકાવ્ય રૂપી સનાતનની વાર્તા (Story)ને બાળકો સુધી લઈ જવાનો છે. આ ફિલ્મ એ કરી રહી છે જે કરવું જોઈતું હતું. બાળકો જાણે કે તેમના વાસ્તિવક હીરો કોણ છે. આપણે એવા યુગમાં જીવી છીએ જ્યાં એક્સપોઝર ખૂબ વધારે છે. હોલીવુડના પાત્રો બાળકોના દિલોદિમાગ પર રાજ કરતા રહે છે. બાળકો હલ્ક અને સુપરમેનને ઓળખે છે પરંતુ હનુમાન (Hanuman) અને અંગદને જાણતા નથી. અમારો પ્રયાસ એવો હતો કે અમારા પાત્રો બાળકો સુધી પણ પહોંચે.
►બે દિવસમાં રૂ.200 કરોડની કમાણી
લેખકને પૂછવામાં આવ્યું કે, ઘણા એવા લોકો છે જેઓ પોતાની ટિકિટ કેન્સલ કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે, આ બાળકોને બતાવવાની ફિલ્મ નથી. કેટલાક દ્રશ્યો અને કેટલાક સંવાદો પર વાંધો છે. આ અંગે તમારો શું અભિપ્રાય છે? મનોજ મુન્તાશીરે જવાબ આપ્યો કે, 'આવા બહુ ઓછા લોકો છે. હું સંપૂર્ણ આંકડા આપી શકતો નથી. પણ જો તમે હજુ પણ બુક માય શો પર જોશો તો તમને આખું ભારત ભગવામાં જ જોવા મળશે. ટિકિટ ખૂબ જ ઝડપથી બુક થઈ રહી છે. અમે બે દિવસમાં જ મોટું કલેક્શન કર્યું છે. આટલા લોકોએ આવીને ફિલ્મ જોઈ, નહીંતર પિક્ચરે બે દિવસમાં 200 કરોડની કમાણી કેવી રીતે કરી હોત ?
►“અમે જે લખ્યું તે પથ્થરની લકીર નથી”
તેઓ વધુમાં કહે છે કે, 'જ્યાં સુધી સવાલ સોશિયલ મીડિયા પર ફેલાયેલી બાબતોનો છે, તો જે લોકો ટિકિટ કેન્સલ કરી રહ્યા છે, તેઓ એ જ ભૂલ કરી રહ્યા છે કે તેઓ ફિલ્મ જોયા વિના અભિપ્રાય બનાવી રહ્યા છે. તમે એકવાર ફિલ્મ જોજો. જ્યારે તમે જોશો, ત્યારે તમને કોઈ ફરિયાદ નહીં હોય. જ્યારે તમે જોશો, ત્યારે તમે સમજી શકશો કે હનુમાનજીનું પાત્ર નિર્દોષતાથી ભરેલું છે. અમે જે રીતે હનુમાનજીના પાત્રનો સંપર્ક કર્યો છે, તે ખૂબ જ બાળ મૈત્રીપૂર્ણ રીતે કરવામાં આવ્યો છે. હા હનુમાનજી પાસે શક્તિ હતી, જ્ઞાન હતું, પરંતુ તેઓ દાર્શનિક વાત કરતા ન હતા. તેમની બધી ફિલસૂફી તેમના આચરણમાં હતી. જ્યારે તેઓ વાત કરતા ત્યારે બાળકોની જેમ વાત કરતા હતા. બસ આટલી જ વાત છે, પણ તેનો અર્થ એવો નથી કે અમે જે લખ્યું છે તે પથ્થરની લકીર હોય.
►ડાયલોગમાં કેમ કરવા પડ્યા બદલાવ ?
લેખક મનોજ મુન્તાશીર કહે છે કે તેમણે ફિલ્મના ડાયલોગ્સ એવી રીતે લખ્યા છે જેથી બાળકો તેની સાથે જોડાઈ શકે અને તેને સમજી શકે. એક ફિલ્મ 4000 હજાર ડાયલોગથી બને છે. જો 5 ડાયલોગ પસંદ નથી આવ્યા તો 3995 ડાયલોગ જરૂર ગમ્યા હશે. 4000 માંથી 5 ડાયલોગ બદલવાથી કંઈ થશે નહીં. અમે ફક્ત એવા શબ્દો બદલીશું જે વાંધાજનક છે, જેનાથી જનતાને સમસ્યા છે. અમને અમારા દેશના લોકો માટે સન્માન છે. તેઓ જે કહે છે તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક અવાજ પણ આપણા માટે મૂલ્યવાન છે. અમારા માટે એક પણ સનાતની, એક પણ હિંદુ, એક પણ રામભક્ત જો કહે કે તેમને તે નથી ગમ્યું. તો તેને અમે સાંભળીશું. અને જો તે કહે તો ડાયલોગ પણ બદલીશું.
મનોજ મુન્તાશીરને પૂછવામાં આવ્યું કે 'આદિપુરુષ'ના સંવાદો બદલવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? તેના પર તેમણે કહ્યું, 'ઘરમાં ઝઘડો થાય તો શું થાય. વિવાદમાં દરેક પોતાનો પક્ષ રાખે છે. આજુબાજુની વાત સાંભળીને તેને સ્વીકારીને નિર્ણય લેવામાં જ શાણપણ છે. સમાજમાં આ રીતે વાતચીત થાય છે. જે દલીલ કરતાં સંબંધોને વધુ મહત્વ આપે છે તે દલીલને છોડી શકે છે. દલીલો કરવા સામે મને કોઈ વાંધો નથી. હું 1000 દલીલો આપી શકું છું. પરંતુ લોકો મારા માટે મહત્વપૂર્ણ છે.
►મનોજને ટાર્ગેટ કરવામાં આવે છે?
લેખક મનોજ મુન્તાશીરનું કહેવું છે કે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, 'જો એક પણ સનાતનીને ખરાબ લાગ્યું હોય તો હું તેને બદલી નાખીશ. હા કેટલાક લોકો એવા છે જે મને નિશાન બનાવી રહ્યા છે. હું તેમને સમજાવવા માંગુ છું કે મારો અવાજ દબાવી દેવામાં આવશે. મેં શું કર્યું. આજ સુધી હું સાદું જીવન જીવી રહ્યો છું. હું ફિલ્મી દુનિયાથી દૂર છું. બન્યું એવું કે એક ફિલ્મ આવી છે, મનોજ મુન્તાશીરે કંઈક મોટું લખ્યું છે, એટલે લોકોએ વિચાર્યું કે હવે તેની નિંદા કરી શકાય. તેને મોટું કરીને બતાવી શકાય છે. કેટલાક પક્ષો મારા વિશે કેમ બોલી રહ્યા છે. આ મામલો રાજકીય બની ગયો છે. આ વાત હું મારા સનાતની ભાઈઓને કહેવા માંગુ છું. હું પહેલા જે વ્યક્તિ હતો તે જ છું. જો તમે મને સનાતનના વિરોધી કહો છો, તો તમને કોણ સમર્થન આપશે?
ટ્રોલ્સ વિશે મનોજ મુન્તાશીરે કહ્યું, 'જ્યાં સુધી ટ્રોલ્સનો સવાલ છે, હું તેમના પર ધ્યાન નથી આપતો. મારી જવાબદારી સનાતની ભાઈઓની છે. રામ ભક્તો માટે છે. તે કોઈ પક્ષના, કોઈપણ શહેરના મુખ્યમંત્રી માટે નથી. મારા બોલવા અને લખવાથી તેમને દુઃખ થયું જે મારા માટે ખૂબ જ દુઃખદ છે.
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, TV News, News, Gujarati News Channel - Gujju News Channel - Adipurush Movie - Adipurush Controversy - Manoj Muntashir -Entertainment News Gujarati